"મધુરભર્યા સત્યની સંગાથે..."

સંધ્યા સંગાથે || Evening

Image
"સંધ્યા સંગાથે" જ્યારે હિરણ્યકશિપુની તપશ્ચર્યાથી ભગવાન તેના પર પ્રસન્ન થયા ત્યારે તેણે અમરત્વ પ્રાપ્ત કરવા એવું વરદાન માંગેલુ કે, “દિવસે ન મરું, રાતે ન મરું, લીલે ન મરું, સૂકે ન મરું, લાકડાથી ન મરું, લોખંડથી ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, માણસથી ન મરું, પશુ-પક્ષીથી ન મરું…. વગેરે વગેરે માંગણીઓ વરદાનમાં મૂકી. ભગવાને કહ્યું, “તથાસ્તુ!” જેમ હિરણ્યકશિપુ ભૂલી ગયો તેમ કેટલાક કોર્પોરેટ પર્સન પણ ભૂલી જાય છે કે ચોવીસ કલાકના આઠ પ્રહરમાં સંધ્યા જેવો પણ એક સમય હોય છે. દિવસ અને રાતનું મિલન થતો નજારો જોવાનું કેટલાકના ભાગ્યમાં લખાયું જ નથી હોતું. સવારે કામ રાતે આરામ અને સમય મળે ત્યારે પેટપૂજા. એ લોકોને ચાર દિવાલો વચ્ચેની હવા વધુ માફક આવી ગઈ હોય છે.  સંધ્યા અર્થાત સંધિ થવી. સંધ્યા એ મિલનનો પર્યાય છે કેમ કે તેનું સર્જન પ્રભાત અને રજનીના મિલનનું કેન્દ્ર છે. દિવસ ઉગતે સૂરજ એકદમ તાજગીના મિજાજમાં હોય છે, આપણી પજવણીના કારણે બપોર પડતા લાલઘૂમ થઈ જાય અને સાંજ પડતા એ બધું જ ભૂલીને એકદમ શાંત ને નિર્મળ થઈ જાય. જીવાત્મા માંહે ત્યાગ અને વૈરાગ્ય ઉદય થવામાં સંધ્યા મુખ્ય ભાગ ભજવે છે. સમી સાંજનો સમય જિંદગી...

આઝાદી પછી પણ ગુલામી..?? || Independence day


"આઝાદી પછી પણ ગુલામી..?? "


न पूछो जमाने से क्या है हमारी कहानी ,

पहचान सिर्फ इतनी की हम है हिन्दुस्तानी। 


૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ ભારત દેશ આઝાદ થયો. આજે એ આઝાદીને ૭૬ વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો. ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે આપણા વીરપુરુષોએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું. 15 મી ઓગસ્ટ એટલે એ વીરપુરુષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક શુભ અવસર..


આજથી ૭૬ વર્ષ પહેલા ભારતમાં રહેતો પ્રત્યેક નાગરિક સ્વતંત્ર થઈ ગયો; પરંતુ સૌ પોત પોતાના હૃદય ઉપર હાથ મૂકીને પ્રશ્ન પૂછો કે, " શું આપણે ખરેખર સ્વતંત્રત થઈ ગયા છીએ ?? " હું અને તમે બધાંય શારીરિક રીતે તો ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ આઝાદ થઈ ચૂક્યાં. પરંતુ શું આપણને એવું નથી લાગતું કે હજુ પણ આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના ગુલામ જ રહી ગયા. આજે આપણે ખાવા-પીવા, પહેરવા-ઓઢવા, હરવા-ફરવાથી માંડીને રોજિંદી રહેણીકરણીમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનાં અનુકરણ પાછળ આંધળી દોટ મૂકી છે.


ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવતગીતામાં ચોક્કસપણે એમ કહ્યું છે કે परिवर्तन संसार का नियम है। પરંતુ આમ જોઈએ ને તો એટલું બધું પરિવર્તન પણ યોગ્ય ન કહેવાય કે આપણે આપણી સંસ્કૃતિને જ ભૂલી જઈએ. કોઈ પણ ગ્રંથમાં ક્યાંય એવું નથી લખાયું કે તમે તમારી મૂળ અને વારસાઈ પરંપરાગત સંસ્કૃતિને ભૂલીને પરિવર્તન તરફ પ્રયાણ કરો.

 

આપણને આપણા દેશનું ગૌરવ હોવું જોઈએ. હું માં ભારતીના ગોદનું સંતાન છું. હું એ ધરતીનું સંતાન છું જ્યાં મંગલ પાંડે, રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ, લાલા લજપતરાય જેવા મહાપુરુષોએ હસતા મુખે શહીદી વહોરી લીધી. આપણને ગૌરવ હોવું જોઈએ કે હું એ દેશનું સંતાન છું કે જ્યાં નાનો એવો ભગતસિંહ એમ કહેતો હોય કે પિતાશ્રી મારે આ જમીનમાં બંદૂક ઉગાડી એ બંદૂકથી આપણા દેશમાંથી અંગ્રેજોને ભગાડવા છે. અને ભર જુવાનીમાં હસતા મુખે માં ભોમની રક્ષા કાજે ત્રણ- ત્રણ જુવાનો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ફાંસીના ફંદાને સ્વીકારી લે. આ બધા મહાપુરુષોને વતન પ્રત્યે કેટલો પ્રેમ હશે !! 


दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए..।


અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન જ્યારે ભારત આવ્યા ત્યારે તેમની માતાને પૂછ્યું, " માં હું આપની માટે ભારતથી શું લાવુ ? " ત્યારે તેમની માતાએ કહ્યું, " મારા માટે હલ્દીઘાટીના મેદાનની માટી લેતો આવજે..!" 


એક કવિએ સરસ કહ્યું છે ,

" જુદી તાસીર છે આ ભારતની ધરતીની

જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે છે,

અને જનક જેવા જો હળ હાંકે તો

હજુ પણ આ ધરતીમાંથી સીતા નીકળે છે.."


આપણા ભારત દેશના નારીત્વની એ તાકાત છે કે જીજાબાઈ જેવી માતા છત્રપતિ શિવાજી મહારાજ જેવા વીર પુત્રને જન્મ આપી શકે છે. આ એ જ ભારત છે જેને આખાય વિશ્વને યોગ જેવી પવિત્ર સંસ્કૃતિનો રાહ ચીંધ્યો. 


જે દેશને સરદાર સાહેબ જેવા લોહપુરુષનું સાનિધ્ય મળ્યું હોય એ દેશનો નાગરિક નમાલો ન હોઈ શકે. આજે આપણા દેશને કર્તવ્યનિષ્ઠ આદર્શ યુવાનોની જરૂર છે. ટૂંકમાં કહું તો, इस देश को अजमल कसाब नहीं बल्कि अब्दुल कलाम चाहिए।


અંતમાં એટલું જ કે જેના કારણે આપણે ઘરમાં સુરક્ષિત નિર્ભયતાથી હળવાશથી રહી શકીએ છીએ એનો તમામ શ્રેય જો કોઈને જતો હોય તો એ ભારતીય સરહદ પર ઉભેલા આપણાં ઇન્ડિયન આર્મીના જવાનોને જાય છે.


ભલે આપણે દેશ માટે દુશ્મનોની ગોળી છાતીમાં ન જીલી શકીએ પરંતુ આપણે મેડ ઈન ઈન્ડિયાની વસ્તુનો ઉપયોગ કરી દેશને ઉપયોગી તો બની જ શકીએ. આપણે આપણા દેશને સ્વચ્છ બનાવવો છે તો શરૂઆત ખુદથી કરીએ. હું કરીશ તો બીજા એક કદમ સ્વચ્છતા કી ઔર આગળ વધશે. ભલે આપણે બહાર પડેલો કચરો વીણીને કચરાપેટીમાં ન નાખી શકીએ પણ આપણે આપણો કચરો તો કચરાપેટીમાં નાખી જ શકીએ. 

તો ચાલો, હવે રાહ શેની...?? 


જેને જેને પણ માં ભોમની રક્ષા કાજે પોતાનું સર્વસ્વ હોમી દીધું છે એમના ચરણોમાં શત શત વંદન સહ એટલું તો ચોક્કસપણે કહીશ કે તમે સેવેલાં અંખડ ને આદર્શ ભારતના સ્વપ્નને અમે સૌ સાથે મળી સાકાર કરીશું ને ભારતને દુનિયાનો નંબર વન દેશ બનાવીશું.


" आज तिरंगा लहराता है अपनी पुरी‌‌ शान से

हमें मिली आजादी वीर शहीदों के बलिदान से। "


- जय हिन्द 



~ MEET BHAGAT 

Comments

A Very Popular Blogs

Introduction

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

"......."