"મધુરભર્યા સત્યની સંગાથે..."

સંધ્યા સંગાથે || Evening

Image
"સંધ્યા સંગાથે" જ્યારે હિરણ્યકશિપુની તપશ્ચર્યાથી ભગવાન તેના પર પ્રસન્ન થયા ત્યારે તેણે અમરત્વ પ્રાપ્ત કરવા એવું વરદાન માંગેલુ કે, “દિવસે ન મરું, રાતે ન મરું, લીલે ન મરું, સૂકે ન મરું, લાકડાથી ન મરું, લોખંડથી ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, માણસથી ન મરું, પશુ-પક્ષીથી ન મરું…. વગેરે વગેરે માંગણીઓ વરદાનમાં મૂકી. ભગવાને કહ્યું, “તથાસ્તુ!” જેમ હિરણ્યકશિપુ ભૂલી ગયો તેમ કેટલાક કોર્પોરેટ પર્સન પણ ભૂલી જાય છે કે ચોવીસ કલાકના આઠ પ્રહરમાં સંધ્યા જેવો પણ એક સમય હોય છે. દિવસ અને રાતનું મિલન થતો નજારો જોવાનું કેટલાકના ભાગ્યમાં લખાયું જ નથી હોતું. સવારે કામ રાતે આરામ અને સમય મળે ત્યારે પેટપૂજા. એ લોકોને ચાર દિવાલો વચ્ચેની હવા વધુ માફક આવી ગઈ હોય છે.  સંધ્યા અર્થાત સંધિ થવી. સંધ્યા એ મિલનનો પર્યાય છે કેમ કે તેનું સર્જન પ્રભાત અને રજનીના મિલનનું કેન્દ્ર છે. દિવસ ઉગતે સૂરજ એકદમ તાજગીના મિજાજમાં હોય છે, આપણી પજવણીના કારણે બપોર પડતા લાલઘૂમ થઈ જાય અને સાંજ પડતા એ બધું જ ભૂલીને એકદમ શાંત ને નિર્મળ થઈ જાય. જીવાત્મા માંહે ત્યાગ અને વૈરાગ્ય ઉદય થવામાં સંધ્યા મુખ્ય ભાગ ભજવે છે. સમી સાંજનો સમય જિંદગી...

"......."


      1979 માં ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની ટીમ દ્વારા અથાગ પ્રયત્ને તૈયાર થયેલું SLV- 3 (Satellite Launch Vehicle) નું લોન્ચ ફેઈલ ગયું. તે વખતે સામાન્ય નાગરિકથી લઈને મીડિયા સુધીની નજર આ અસફળતા પર જ મંડરાયેલી હતી. એમાંય SLV- 3 ના પ્રોજેકટ ચેરમેન તરીકે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ હતાં એટલે આ ઘટનાથી કલામ વધારે નિરાશ થયા. એ વખતે ઈસરોના ચેરમેન અને ભારતીય ગણિતશાસ્ત્રી એવમ એરોસ્પેસ એન્જિનિયર પ્રો. સતીશ ધવને ડૉ. કલામ અને તેમની ટીમને હિંમત આપી અને ખભે હાથ મૂકી કહ્યું, " ચાલો બહાર મીડિયા અને જનતા આપણા જવાબની રાહ જોવે છે. " કલામ પોતે આ પ્રોજેક્ટના ચેરમેન હોવાને લીધે ડૉ. કલામ વધુ મૂંઝાયા. જનતાને શું જવાબ આપીશું..? મીડિયા વાળા કેવા કેવા પ્રશ્નો પૂછશે..? દેશ તરફથી મળેલી સંપત્તિનો શું જવાબ આપીશું..? આ આખીયે અસફળતાનું જવાબદાર કોણ..?


પ્રો. સતીશ ધવન સાથે ડૉ. કલામ અને એમની ટીમ મીડિયા કોન્ફરન્સ સામે બેઠી. પત્રકારો અને લોકો બાજુથી પ્રશ્નનનો મારો છૂટ્યો... આ સફળતાનું જવાબદાર કોણ ?? દેશના પૈસા બારબાદ કરી નાખ્યા..!! વગેરે..વગેરે.... એ વખતે પ્રો. સતીશ ધવને હળવેક દઈને ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની આગળ મૂકેલું માઈક પોતાની તરફ લઈ એટલો જ જવાબ આપ્યો, " આ આખીયે ટીમ ખૂબ જ મહેનતુ છે. મને તેમના પુરુષાર્થ પર વિશ્વાસ છે. આવનારા એક જ વર્ષમાં SLV- 3 સફળ લોન્ચ કરી દેખાડશે. " એ વખતે અચાનક આખીયે ટીમમાં એવી હિંમત આવી ગઈ. લાગી પડ્યાં ફરી તૈયારીમાં અને ખરેખર 1980 માં SLV- 3 સફળતાથી લોન્ચ થયું.


આજે ફરી એ દિવસનું દ્રશ્ય નજર સમક્ષ ખડું થયું. 19 નવેમ્બરે ICC 2023 ફાઈનલ મેચમાં ઈન્ડિયા VS ઓસ્ટ્રેલિયાનો મુકાબલો થયો. ઓસ્ટ્રેલિયા જીતી ગયું. ત્યારથી લોકો સોશિયલ મીડિયા પર ઇન્ડિયા VS ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચ અંગે તરહ-તરહની વાતો કોરોનાની જેમ ફેલાઈ રહ્યાં છે.

 

19 નવેમ્બરના રોજ રાત્રે ICC 2023 નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં ફાઈનલ મેચ પત્યા પછી ઈન્ડિયા ક્રિકેટ ડ્રેસિંગ રૂમમાં જઈ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઈન્ડિયા ક્રિકેટ ટીમને ધીરજતા, હૂંફ અને પ્રેમ આપ્યો એ દ્રશ્ય ખરેખર હૃદયની આંખે વળગે એવું હતું.


સંચાલક, નેતા, કપ્તાન કે વડીલ એટલે માત્ર ફુલ-હાર પહેરેલાં મોટા મોટા પોસ્ટરો પર લાગી જવું એ જ..?? ના..! પરંતુ જ્યારે ખરેખરી જરૂર હોય ત્યારે પોતાના ખોળામાં વ્યક્તિ હૈયું હળવું કરી શકે એવું વિશાળ વ્યક્તિત્વ.


જ્યારે આખા દેશની જનતાની આંખ ભીની હોય, શું ત્યારે મોદી સાહેબની આંખમાં આંસુ નહિ આવ્યા હોય ? અને એ તો દેશના સુકાની છે, પોતાનો દેશ પોતાના પ્રાણ સમાન છે. છતાંય હૈયું બાંધીને દેશ અને દેશના લોકોને સંભાળ્યા, ખેલાડીઓને હિંમત આપી. જો એ સાવ હિંમત હારી અને હતાશ થઈ જાય તો ક્રિકેટ ટીમ અને જાહેર જનતાને હુંફાળી ઉષ્મા કોણ આપે..? 


નેતૃત્વનું એક મહત્વનું પાસુ એટલે એમ કહી શકાય કે, "એની હારને હસતા હૈયે સ્વીકારી જીવમાં જીતનો પ્રાણ પૂરવો." 


જો દોસ્ત! આ વાત કોઈ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના કોર્સમાં શીખવા ન મળે. એને તો મોદી સાહેબ કે પ્રો. સતીશ ધવન જેવા અનુભવી વ્યક્તિના જીવન પાસેથી જ શીખવી પડે. 


શબ્દો દ્રશ્યમાં ડૂબી ગયા, માંડ અહિયાં સુઘી લખી શક્યો, લેખને ટાઈટલ આપવાનું જ રહી ગયું... તે રહી જ ગયું !!


[ Note : ICC ૨૦૨૩ ફાઈનલ મેચ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઈન્ડિયા ક્રિકેટ ટીમ સાથેની મુલાકાત જોવા ટાઈટલ (".....") પર ક્લિક કરો. ]


Comments

A Very Popular Blogs

Introduction

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)