Posts

"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ

માં એ પ્રેમની યુનિવર્સિટી

Image
" માં એ પ્રેમની યુનિવર્સિટી " " જગતભરમાં જે સૌથી વધુ બોલાય છે, એ શબ્દ છે માં." - સ્વામી નિજાનંદ સૌથી નાનો અને બોલવામાં મીઠો લાગતો શબ્દ એટલે માં. કલમ જ્યારે માં વિશે આલેખવા જાય ત્યારે શબ્દો પણ લાગણીભીના થઈ પડે. બાળપણની યાદોનું પ્રતીક અને લાડુની મીઠાશ એટલે માં. કવિ કાગબાપુની કલમે નોંધ્યું, " મોઢે બોલું માઁ ત્યાં તો સાચેય નાનપ સાંભરે, મોટપ ની મજા મને કડવી લાગે કાગડા..! " રડતાં, હસતાં અને છાતીએ ચાંપતા માં ની આંખના ખૂણે બાઝેલું પ્રેમનું એક અશ્રુબિંદુ આંખ પલકારો મારે ત્યારે એ અમૃત આંખના ખૂણેથી ગાલ પર ભીના લીસોટા પાડતું બાળકના માથામાં ટપ દઈને સરી પડે એ દ્રશ્ય કાંઈક અદભુત હોય છે. હેલન કેલરે તો એવુ કહ્યું કે, "માતાના વિષયમાં હું શું, કેવી રીતે લખું કે બોલું? તે મારી એટલી નિકટ છે કે એના વિશે કંઇ પણ બોલવું વિકટ છે અને એમાં મને અસંસ્કારીતા લાગે છે." મનમાં પ્રશ્ન એ થાય કે, ક્લાસ વન- ટુ ઓફિસર બનવા માટે એની પરીક્ષા પાસ કરવી પડે. જોબ માટે ડીગ્રી જોઈએ. એમ કોઈ સ્ત્રીને માં બની માતૃત્વ સ્વીકારવા કઈ પરીક્ષા પાસ કરવી પડતી હશે? માતૃત્વની ડીગ્રી કઈ યુનિવર્સિટીમાં મળતી

“ જતું કરો, જાતે કરો, જીવવાની મજા આવશે ” || forget people mistakes and own work do it yourself, will be fun to live

Image
“ જતું કરો, જાતે કરો,  જીવવાની મજા આવશે. ” માઉન્ટ આબુની ટોચ સુધી પહોંચવાનો વિચાર કર્યા પછી પર્વત પર ચડવાની શરૂઆત ન કરો ત્યાં સુધી પહોંચી શકાય ખરા..?   માઉન્ટ આબુ કે ગિરનાર પર્વત ચડતી વખતે બિનજરૂરી સામાન સાથે રાખો તો શું હાલત થાય..? આગળ વધવા અને ઉંચે સુધી જવા બિનજરૂરી વસ્તુઓનો ત્યાગ કરવો પડે, નહિતર અધવચ્ચે ભારનો થાક વધતો જાય. કોઈની ભૂલોને યાદ રાખવાથી વગર જોતો માનસિક બોજ બમણો થાય છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજી જ્યારે વનવાસ બાદ પરત ફર્યા ત્યારે સૌપ્રથમ માતા કૈકૈયીના ચરણસ્પર્શ કર્યા. કેટલું વિશાળ દિલ કહેવાય ! ક્યાંક આપણું ધાર્યું ન થયું હોય તો નકામું મન પર ન લેવું. જતું કરવું, પડતું મૂકવું. બધી પરિસ્થિતિઓમાં દર વખતે દરેક જગ્યાએ આપણે કહીએ એમ જ થાય એ જરૂરી નથી. આપણા પથદર્શક, માતા-પિતા કે કોઈ આપણા હિતેચ્છુ હિતની વાત કરે અને ત્યાં આપણો મત ખોટો પડતો હોય ત્યારે એ વાત સ્વીકાર્ય રાખવી જોઈએ. ઘણી વખત આપણને એવો ખોટો વહેમ હોય છે કે, “હું કોઈનાથી કમ છું..! જતું કરે ઈ આ નહિ…” હસ્તિનાપુરના રાજ દરબારમાં દુર્યોધન પાસે ખાલી પાંચ ગામની માંગણી મૂકી હતી. પાંડવો વતી પ્રસ્તાવ મૂકનાર સ્વય

ભારોભાર ભણતરમાં ભાર વિનાનું ભણતર ..? ॥ Learning without load in heavy learning ..?

Image
  “ભારોભાર ભણતરમાં ભાર વિનાનું ભણતર?” શિક્ષણનો મુખ્ય હેતુ માનવ સમાજના શ્રેષ્ઠત્તમ ચારિત્ર્ય નિર્માણનો છે, પરંતુ હાલ પરિસ્થિતિ કાંઈક જુદી છે. શિક્ષણ વ્યવસાયલક્ષી બની ગયુ એટલે એમાં માહિતી હોવાની, કેળવણી નહિ. અત્યારે… “સૌથી વધુ ભ્રષ્ટાચાર કોણ કરે છે ? ” “ સૌથી વધુ ક્રાઈમ કોણ કરે છે ?” “ યુવાવયમાં સૌથી વધુ આપઘાત કરનારા કોણ છે ?” ત્રણેયના જવાબ મળશે – “ભણેલાં..!” “सा विद्या या विमुक्तये ” અર્થાત, દરેક પ્રકારનાં બંધનમાંથી જે મુક્તિ અપાવે તે વિદ્યા. ભાગ્યે જ એવો કોઈ વ્યક્તિ મળે જેની આંખે આ વાક્ય ન જોયું હોય. વાત પણ સાચી, વિદ્યા વગર વાસ્તવિકતાને પારખી શકાતી નથી. શિક્ષણ મેળવનારાની સાપેક્ષે રોજગારી મેળવનારા કેટલાં..? સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી માનસિક બિમારીઓ મોટા ભાગે ભણેલાં લોકોને જ કેમ વરેલી હોય છે? છેતરપિંડી કરવામાં નોન એજ્યુકેટેડ કરતાં એજ્યુકેટેડ પર્સન વધારે છે. ગામને પાદરે ખિલખિલાટ કરતો કરચલી વાળો ચહેરો જોઈને થાય કે કદાચ ઓછું ભણેલા લોકો વધુ મોજથી જીવી જાય છે. ખલીલ સાહેબની એક કવિતા અહીં હ્રદયસ્પર્શી વાત સમજાવી જાય છે- “એ સમયના માસ્તરના હાથમાં સોટી હતી, પણ ભણાવવાની રસમ કે રીત શું ખોટી

સ્વની શોધ.. ॥ The Discovery of Self

Image
“સ્વની શોધ..”      આપણે સર્ચ બારમાં ઘણું બધુ સર્ચ કરીએ છીએ. ચાલો આજે આપણે સ્વને સર્ચ કરીએ. સ્વની શોધ કરીએ. જોઇએ, શું આઉટપુટ આવે છે..! આપણા દરેકની અંદર એક અદ્ભૂત, કલાત્મક માણસ છુપાયેલો છે. જીવનયાત્રા દરમ્યાન તેની મુલાકાત કરવી ખૂબ જ આવશ્યક છે. જસ્ટ ઈમેજિન, જો મિ. મોહનદાસને દક્ષિણ આફ્રિકામાં મુસાફરી દરમ્યાન રેલવેના ડબ્બામાંથી ધક્કો દઈ અપમાન કરી બહાર કાઢવામાં ન આવ્યા હોત તો એ પોતાની અંદર રહેલા બાપુત્વને ઓળખી શકેત ખરા..? સ્વની શોધમાં સ્વને મળવા વિકટ પરિસ્થિતિ અને યોગ્ય માર્ગદર્શક મુખ્ય ભાગ ભજવે છે. જ્યારે હનુમાનજીને સીતામૈયાની શોધમાં જવાનું થયુ, ત્યારે વચ્ચે વિશાળ સમુદ્ર પાર કેમ કરવો? એ પ્રશ્ન હતો. એ વખતે જામવંતજીએ હનુમાનજીનો ખુદની સાથે પરીચય કરાવ્યો ને કહ્યું, “હે અંજનીપુત્ર ! આ સમુદ્ર તો આપની પાસે કશું નથી. તમે માત્ર એક જ છલાંગમા આને પાર કરી શકવાની શક્તિ ધરાવો છો.”   મહાભારતના રણમેદાનમાં યુદ્ધ પહેલા જયારે અર્જુન સ્વ જોવામાં ઝાંખો પઽયો ત્યારે અર્જુનના સારથી તરીકે ઉભેલા શ્રી કૃષ્ણએ અર્જુનની અર્જુન સાથે મુલાકાત કરાવી ને એમાંથી જે ઉદ્ભવ થયો એ જ ભગવદ ગીતા. ગીતા એટલે સ્વ તરફ દોરતો રસ્તો. આપ