Posts

Showing posts from April, 2024

"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ

“ જતું કરો, જાતે કરો, જીવવાની મજા આવશે ” || forget people mistakes and own work do it yourself, will be fun to live

Image
“ જતું કરો, જાતે કરો,  જીવવાની મજા આવશે. ” માઉન્ટ આબુની ટોચ સુધી પહોંચવાનો વિચાર કર્યા પછી પર્વત પર ચડવાની શરૂઆત ન કરો ત્યાં સુધી પહોંચી શકાય ખરા..?   માઉન્ટ આબુ કે ગિરનાર પર્વત ચડતી વખતે બિનજરૂરી સામાન સાથે રાખો તો શું હાલત થાય..? આગળ વધવા અને ઉંચે સુધી જવા બિનજરૂરી વસ્તુઓનો ત્યાગ કરવો પડે, નહિતર અધવચ્ચે ભારનો થાક વધતો જાય. કોઈની ભૂલોને યાદ રાખવાથી વગર જોતો માનસિક બોજ બમણો થાય છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજી જ્યારે વનવાસ બાદ પરત ફર્યા ત્યારે સૌપ્રથમ માતા કૈકૈયીના ચરણસ્પર્શ કર્યા. કેટલું વિશાળ દિલ કહેવાય ! ક્યાંક આપણું ધાર્યું ન થયું હોય તો નકામું મન પર ન લેવું. જતું કરવું, પડતું મૂકવું. બધી પરિસ્થિતિઓમાં દર વખતે દરેક જગ્યાએ આપણે કહીએ એમ જ થાય એ જરૂરી નથી. આપણા પથદર્શક, માતા-પિતા કે કોઈ આપણા હિતેચ્છુ હિતની વાત કરે અને ત્યાં આપણો મત ખોટો પડતો હોય ત્યારે એ વાત સ્વીકાર્ય રાખવી જોઈએ. ઘણી વખત આપણને એવો ખોટો વહેમ હોય છે કે, “હું કોઈનાથી કમ છું..! જતું કરે ઈ આ નહિ…” હસ્તિનાપુરના રાજ દરબારમાં દુર્યોધન પાસે ખાલી પાંચ ગામની માંગણી મૂકી હતી. પાંડવો વતી પ્રસ્તાવ મૂકનાર સ્વય

ભારોભાર ભણતરમાં ભાર વિનાનું ભણતર ..? ॥ Learning without load in heavy learning ..?

Image
  “ભારોભાર ભણતરમાં ભાર વિનાનું ભણતર?” શિક્ષણનો મુખ્ય હેતુ માનવ સમાજના શ્રેષ્ઠત્તમ ચારિત્ર્ય નિર્માણનો છે, પરંતુ હાલ પરિસ્થિતિ કાંઈક જુદી છે. શિક્ષણ વ્યવસાયલક્ષી બની ગયુ એટલે એમાં માહિતી હોવાની, કેળવણી નહિ. અત્યારે… “સૌથી વધુ ભ્રષ્ટાચાર કોણ કરે છે ? ” “ સૌથી વધુ ક્રાઈમ કોણ કરે છે ?” “ યુવાવયમાં સૌથી વધુ આપઘાત કરનારા કોણ છે ?” ત્રણેયના જવાબ મળશે – “ભણેલાં..!” “सा विद्या या विमुक्तये ” અર્થાત, દરેક પ્રકારનાં બંધનમાંથી જે મુક્તિ અપાવે તે વિદ્યા. ભાગ્યે જ એવો કોઈ વ્યક્તિ મળે જેની આંખે આ વાક્ય ન જોયું હોય. વાત પણ સાચી, વિદ્યા વગર વાસ્તવિકતાને પારખી શકાતી નથી. શિક્ષણ મેળવનારાની સાપેક્ષે રોજગારી મેળવનારા કેટલાં..? સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી માનસિક બિમારીઓ મોટા ભાગે ભણેલાં લોકોને જ કેમ વરેલી હોય છે? છેતરપિંડી કરવામાં નોન એજ્યુકેટેડ કરતાં એજ્યુકેટેડ પર્સન વધારે છે. ગામને પાદરે ખિલખિલાટ કરતો કરચલી વાળો ચહેરો જોઈને થાય કે કદાચ ઓછું ભણેલા લોકો વધુ મોજથી જીવી જાય છે. ખલીલ સાહેબની એક કવિતા અહીં હ્રદયસ્પર્શી વાત સમજાવી જાય છે- “એ સમયના માસ્તરના હાથમાં સોટી હતી, પણ ભણાવવાની રસમ કે રીત શું ખોટી