Posts

Showing posts from December, 2022

"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ

31st..(article)

Image
 "31st..." 31st એટલે શું ? થર્ટી ફર્સ્ટ (31st)- ડિસેમ્બર મહિનાનો એક એવો આખરી દિવસ છે કે જે દિવસનું નામ સાંભળતા જ શહેરી જુવાનિયાઓના માનસપટપર ક્લબમાં પાર્ટી-ઈન્જોયનું દ્રશ્ય ખડું થાય. આજના ભારતીય જુવાનીયાઓને હૃદય પર હાથ મૂકીને એવા પ્રશ્નનો જવાબ આપવાનું કહેવામાં આવે કે - "જેટલો ઉત્સાહ થર્ટી ફર્સ્ટ ઉજવવાનો છે એટલો જ ઉત્સાહ જન્માષ્ટમી, દિવાળી કે બેસતુ વર્ષ ઉજવવાનો છે ? " કદાચ...! આ પ્રશ્નના જવાબમાં આપણા ભારતીય તહેવારોની ઉજવણીના ઉત્સાહનું પલ્લુ થોડુંક તો હલકું રહે ખરા...! આપણે ત્યાં આદાન-પ્રદાન શબ્દ છે, નહીં કે માત્ર આદાન...! જે દિવસે વિદેશી ગોરા લોકો જન્માષ્ટમીના દિવસે માથા પર ટોપલો મૂકી તેમાં બાલ-કૃષ્ણનું સ્વરૂપ પધરાવીને "નંદ ઘેરા નંદ ભયો..." ઉત્સાહભેર ઉજવે અને બેસતા વર્ષના દિવસે ઘેર-ઘેર નવા વરહના રામ... રામ.. કે સાલ મુબારક કહીને ઉજવે તે દિવસથી આપણને થર્ટી ફર્સ્ટના દિવસે ક્લબમાં જઇને પાર્ટી કરવાનો પૂર્ણ હક કહેવાય.  સ્વામી વિવેકાનંદજીનું એક વાક્ય મને ખૂબ જ ગમે છે - "તમે સ્કોટલેન્ડની વાઈન પીવા ઇચ્છતા હોવ તો પહેલા એ ભુરીયાઓને આપણી ખાટી છાશ પીવડાવતા શીખો.&q

વંદુ એ જગદીશને...(અભિપ્રાય)

Image
  "વંદુ એ જગદીશને..." અગાઉ ધોરણ ૭ માં ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ભણી ગયેલ હાસ્ય નિબંધ "ફાટેલી નોટ.." ના લેખક ડો. શ્રી જગદીશભાઈ ત્રિવેદીના જીવન પર લેખક શ્રી મહેશભાઈ પઢારીયા સાહેબે પુસ્તક લખેલ છે. જેનું નામ છે - "વંદુ એ જગદીશને.." અને એ પુસ્તક વાંચ્યાં બાદ મને એ વિશે અભિપ્રાય આપવાની તક આપી એ બદલ ડો. શ્રી જગદીશભાઈ ત્રિવેદી સાહેબનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર...   આ પુસ્તકના લેખક શ્રી મહેશભાઈ પઢારીયા સાહેબે ખરેખર ખૂબ સરસ રીતે સિક્કાની બંને બાજુનું વર્ણન નિખાલસ અને નિ:સંકોચતાથી કર્યું છે.  આ પુસ્તક મારા જેવા કરોડો યુવાનો માટે ખરેખર પ્રેરણાદાયી પુલ સાબીત થાય એમ છે. નાપાસ થયેલો જો નાસીપાસ ન થાય તો એ જીવનમાં ધારે તે કરી શકે છે. જેનું સૌથી મોટુ ઉદાહરણ આપીને જગા ઝેરોક્ષવાળાની સફરથી લઈને ત્રણ-ત્રણ વખત પી.એચ.ડી.ની ડીગ્રી કરીને ડો. શ્રી જગદીશ ત્રિવેદી નમાભિ ધારણ કરીને સાબિત કર્યું છે.  વળી ગુરુદેવો ભવઃ ની આપણી પ્રાચીન સંસ્કૃતિનું જગદીશભાઈએ દર્શન કરાવ્યું છે. ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા એક દિગ્ગજ કલાકાર પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબના શિષ્ય થઈને ખરાં અર્થમાં શિષ્યત્વ નિભા

વ્યસ્તતા... (Article)

Image
  "વ્યસ્તતા..." "તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો, તે અન્ય કોલ પર વ્યસ્ત છે, કૃપા કરી થોડીવાર પછી ફરી પ્રયાસ કરો..." આપણે જ્યારે કોઈ વ્યક્તિને કોલ કરીએ ત્યારે એમનો કોલ કોઈ અન્ય કોલ પર વ્યસ્ત હોય ત્યારે આ મુજબની કોલટ્યુન અવશ્ય સાંભળવા મળે. મારા મત મુજબ માણસને સૌથી વધુ જો વ્યસ્ત શબ્દ સાંભળવા મળતો હોય તો એ છે આ કોલટ્યુન પર. વ્યસ્ત શબ્દનો અર્થ અંગ્રેજી ભાષામાં બીઝી(busy) એવો થાય. ઘણી બધી વખતે આપણા કર્ણપટને એવું સાંભળવા મળ્યું હશે કે, "સોરી.. આઈ એમ વેરી બીઝી." જ્યારે ગણિતમાં વ્યસ્ત શબ્દનો અર્થ થાય છે વિરુદ્ધાર્થી. ગણિતના દાખલાઓમાં વ્યસ્ત સંખ્યા કે વ્યસ્ત સંબંધનો વારે ઘડીએ ઉપયોગ થાય છે. જે હું ને તમે સૌ કોઈ જાણીએ છીએ અને શીખી પણ ગયા છીએ. આમ તો અંગ્રેજીમાં થતો વ્યસ્તનો અર્થ અને ગણિતમાં થતો વ્યસ્તનો અર્થ આ બંને ભાષામાં થતા વ્યસ્તના અર્થનું આગળ જતા કોઈ એક કેન્દ્રબિંદુએ છેદાણ થાય છે. હા..! હા..! હું સમજુ છું, તમારા મનમાં પણ એ જ પ્રશ્ન ઉદ્ભવ્યો હશે કે, "અંગ્રેજી અને ગણિતના વ્યસ્તને શું લેવા-દેવા છે ?" પણ દોસ્ત...! શરૂઆતના દ્રષ્ટિકોણમાં ત્રિકોણના પાયા સાથે

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

Image
 "સગપણ તો એક પરમાત્મા સાથે.." સગપણ અને સંબંધ આ બંને ઘણા નજીકના સમાનાર્થી શબ્દ છે.  "સંબંધ એટલે શું ?" આમ તો સંબંધના ઘણા બધા અર્થ થાય છે. પરંતુ આપણે અહીં સંબંધ એટલે સહ બંધન એવા અર્થમાં લઈએ. સામાન્ય રીતે જ્યારે કોઈનું સગપણ કરવાનું નક્કી થાય ત્યારે મોટેભાગે સંબંધ શબ્દ બોલાય છે. "અમારે અમારી દીકરી અથવા તો દીકરાનો સબંધ કરવાનો છે." તમે પણ ઘણી વખત આવું સાંભળ્યું જ હશે. પરંતુ, જો બહુ ઊંડાણપૂર્વક અને ચિંતનપૂર્વક વિચારીએ તો આપણને સમજાય કે આલોકનો સંબંધ આખરે ક્યાં સુધી...? માફ કરજો મિત્રો, અહીંયા મારો કહેવાનો અર્થ એ નથી કે આપણા હિતેચ્છુ અને આપણા સ્નેહીજનો સાથે સંબંધ રાખવો નહીં કે બાંધવો નહીં. ના..! એવું જરા પણ નથી. સૌની સાથે હળી મળીને સંપ, સ્નેહ અને સુહ્યદભાવ કેળવીને રહીએ તો જ જીવન જીવવાની મજા આવે. અને આનંદ આવે. પણ તકલીફ ત્યાં છે કે આપણે તેમાં ન બંધાવાની જગ્યાએ બંધાઈ જઈએ છીએ. ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદગીતામાં કહ્યું છે કે, "જેનું સર્જન છે એનો નાશ પણ અવશ્ય છે જ." અર્થાત જન્મ થયો એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે.  આગળ ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ ભગવદગીતામાં એવું કહે છ