Posts

Showing posts from August, 2023

"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ

આઝાદી પછી પણ ગુલામી..?? || Independence day

Image
"આઝાદી પછી પણ ગુલામી..?? " न पूछो जमाने से क्या है हमारी कहानी , पहचान सिर्फ इतनी की हम है हिन्दुस्तानी।  ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ ભારત દેશ આઝાદ થયો. આજે એ આઝાદીને ૭૬ વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો. ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે આપણા વીરપુરુષોએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું. 15 મી ઓગસ્ટ એટલે એ વીરપુરુષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક શુભ અવસર.. આજથી ૭૬ વર્ષ પહેલા ભારતમાં રહેતો પ્રત્યેક નાગરિક સ્વતંત્ર થઈ ગયો; પરંતુ સૌ પોત પોતાના હૃદય ઉપર હાથ મૂકીને પ્રશ્ન પૂછો કે, " શું આપણે ખરેખર સ્વતંત્રત થઈ ગયા છીએ ?? " હું અને તમે બધાંય શારીરિક રીતે તો ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ આઝાદ થઈ ચૂક્યાં. પરંતુ શું આપણને એવું નથી લાગતું કે હજુ પણ આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના ગુલામ જ રહી ગયા. આજે આપણે ખાવા-પીવા, પહેરવા-ઓઢવા, હરવા-ફરવાથી માંડીને રોજિંદી રહેણીકરણીમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનાં અનુકરણ પાછળ આંધળી દોટ મૂકી છે. ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવતગીતામાં ચોક્કસપણે એમ કહ્યું છે કે परिवर्तन संसार का नियम है। પરંતુ આમ જોઈએ ને તો એટલું બધું પરિવર્તન પણ યોગ્ય ન કહેવાય કે આપણે આપણી સંસ્કૃત

Deal with Depression || સ્ટ્રેસની સારવાર..!

Image
સ્ટ્રેસની સારવાર..!  Deal WITH Depression   દસ વર્ષના છોકરાથી લઈને 80-90 વર્ષના વયોવૃદ્ધ પણ ડિપ્રેશનનો શિકાર બનેલા હોય છે. એમાંય ખાસ કરીને તો 15 થી 30 વર્ષના યુવાનો ડિપ્રેશનના કેન્દ્રબિંદુએ છે. હાલમાં હાર્ટએટેકના ઘણા બધા કેસ ફક્ત ડિપ્રેશનના કારણે જ બની રહ્યા છે. ડિપ્રેશન..., સ્ટ્રેસ... શું છે આ બધું ?? એક વાત તો નક્કી જ છે. ડિપ્રેશન એ આજકાલ જન્મેલો એક માનસિક રોગ છે. બાકી તમે ક્યાંય એવું નહીં સાંભળ્યું હોય કે આપણા વડવાઓ, દાદા-દાદીઓ જરા અમથી મુસીબતને કારણે લમણે હાથ દઈને ડિપ્રેશનમાં કે સ્ટ્રેસમાં વયા ગયા હોય..! આપણી જડતાપૂર્વકની માન્યતાઓનું તૂટવું અને ડિપ્રેશનનું જનમવું.. કોઈ કાર્ય યા તો વ્યક્તિ પાસેથી હદ કરતાં વધારે એક્સપેકટેશન્સ રાખી હોય અને એ પૂરી ન થાય ત્યારે સ્ટ્રેસ સરી પડે છે. સ્ટ્રેસનું બીજ અંકુર ફૂટી ડિપ્રેશનનું ભયાનક રૂપ ધારણ કરે છે. અમુક મળેલી નિષ્ફળતાઓ, કપરી પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓથી કંટાળી જઈ નિરાશ થઈ પોતાની જિંદગીનો વાંક કાઢે. પોતાને સૃજવા બદલ સર્જનહારને ધિક્કારે. મારી સાથે જ કેમ આવું થાય છે ?? આઈ હેટ યુ લાઈફ !! ..... અને અંતે સ્ટ્રેસ અને ડિપ્રેશનની જાળમાં એટલો બધો ગૂંચવાઈ ગ