Posts

Showing posts from August, 2023

"મધુરભર્યા સત્યની સંગાથે..."

ડિયર ડાયરી || Latter to Diary

Image
ડિયર ડાયરી,           આજે તારા જ પાને તને સંબોધીને પત્ર લખી રહ્યો છું. તારા પેજને શબ્દોથી શણગારવું કોને ન ગમે! તું ખરેખર વિશાળ હ્રદયની છે. તું બધાયની સારી-નરસી વાતો પચાવી જાણે છે. અને કદાચ એટલે જ તું લોકોનું પ્રિય પાત્ર છું. શ્રીમદ ભગવદ ગીતામાં જે સ્થિતપ્રજ્ઞતાનો ગુણ સિદ્ધ કરવાની વાત કરી છે તે ગુણ તને ગળથૂથીમાં મળેલો છે. કેમ કે તારામાં કોઈ પ્રેમનું નિરૂપણ કરે કે વિરહનું, તારો રંગ રંચ માત્ર બદલાતો નથી. મારે તને એક વાત પૂછવી છે – “લોકો પોતાની વાતો તને કહે છે. તું દરેકની વાતો સાચવીને રાખે છે પરંતુ તું તારી વાતો કોને કહે છે? શું તને ક્યારેય હૈયું હળવું કરવાનું મન નથી થતું? કોઈ ભારેખમ ભાવ વાળો શબ્દ તારા સુંવાળા પેજ પર આલેખી દે તો તને તે લાગણીઓનો વજન નથી લાગતો? તું એ લાગણીભીના શબ્દોને સમજી શકે છે ખરા?” લાગે છે કે ખાલી થવું તારા સ્વભાવમાં જ નથી. તે મનુષ્ય કરતા પણ ચડિયાતી મહાનતા આત્મસાત કરી છે. મને કોઈ પૂછે કે જ્ઞાનનો અખૂટ ભંડાર કોની પાસે છે? દુનિયામાં સૌથી શ્રેષ્ઠ જ્ઞાની કોણ છે? તો હું એક જ શબ્દમાં પ્રત્યુત્તર આપું – ‘ડાયરી!’ કારણ કે તારી પા...

આઝાદી પછી પણ ગુલામી..?? || Independence day

Image
"આઝાદી પછી પણ ગુલામી..?? " न पूछो जमाने से क्या है हमारी कहानी , पहचान सिर्फ इतनी की हम है हिन्दुस्तानी।  ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ ભારત દેશ આઝાદ થયો. આજે એ આઝાદીને ૭૬ વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો. ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે આપણા વીરપુરુષોએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું. 15 મી ઓગસ્ટ એટલે એ વીરપુરુષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક શુભ અવસર.. આજથી ૭૬ વર્ષ પહેલા ભારતમાં રહેતો પ્રત્યેક નાગરિક સ્વતંત્ર થઈ ગયો; પરંતુ સૌ પોત પોતાના હૃદય ઉપર હાથ મૂકીને પ્રશ્ન પૂછો કે, " શું આપણે ખરેખર સ્વતંત્રત થઈ ગયા છીએ ?? " હું અને તમે બધાંય શારીરિક રીતે તો ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ આઝાદ થઈ ચૂક્યાં. પરંતુ શું આપણને એવું નથી લાગતું કે હજુ પણ આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના ગુલામ જ રહી ગયા. આજે આપણે ખાવા-પીવા, પહેરવા-ઓઢવા, હરવા-ફરવાથી માંડીને રોજિંદી રહેણીકરણીમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનાં અનુકરણ પાછળ આંધળી દોટ મૂકી છે. ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવતગીતામાં ચોક્કસપણે એમ કહ્યું છે કે परिवर्तन संसार का नियम है। પરંતુ આમ જોઈએ ને તો એટલું બધું પરિવર્તન પણ યોગ્ય ન કહેવાય કે આપણે આપણી સંસ્કૃત...