Posts

Showing posts from July, 2023

"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ

મર્ડર...||MURDER

Image
" મર્ડર..." આજ સુધી તમે CID, ક્રાઈમ પેટ્રોલ કે પછી ફિલ્મોમાં ચપ્પુ, છરી, તલવાર, બંદૂક જેવા શસ્ત્રો વડે મર્ડર થતું જોયું હશે. મર્ડર થયા પછી બોડીમાંથી લોહી નીકળે એ પણ જોયું હશે. અને પછી એ વ્યક્તિ મૃત્યુ પામે એ પણ જોયું હશે.. દૈનિક સમાચાર પત્રોમાં તમે ઘણી વખત મર્ડર કેસના બનાવો વાંચ્યા હશે, સાંભળ્યા હશે પણ આજે તમારી સમક્ષ એક અનોખા મર્ડરની વાત કરવી છે. જે મર્ડરમાં નથી કોઈ શસ્ત્ર, નથી નીકળતું લોહી, અને આશ્ચર્યકારક વાત તો એ છે કે મર્ડર થઈ ગયા પછી પણ એ વ્યક્તિ જીવતો રહે છે. આપણી સાથે વાતચીત પણ કરે છે. અને હા..! આ મર્ડરનું એક સિક્રેટ એ છે કે, મર્ડર કોનું અને કેવી રીતે થયું એ કોઈને ખબર નથી હોતી. અરે ! ઘણી વખત તો ખુદ મર્ડર કરનારને પણ ખબર નથી હોતી કે મારાથી કોઈકનું મર્ડર થઈ ગયું છે..! આ મર્ડર કોઈ વ્યક્તિનું નથી પણ આ મર્ડર વ્યક્તિની અંદર ખેલતા કૂદતાં એક સર્જકનું છે. પ્રભુએ સર્જન કરતી વખતે દરેકના અંદર એક એવો સર્જક મૂક્યો હોય છે જે ક્યારેય દેખાતો નથી પણ અનુભવાય તો ચોક્કસ છે. જ્યારે એ સર્જક મરી જાય છે ત્યારે માણસ જીવવાનું જ ભૂલી જાય છે.  ઘણી વખત તમે સિનેમામાં યા તો ક્યાંક આસપાસમાં જોયું હશે;

તસ્મૈ શ્રી ગુરુવે નમઃ || ગુરૂપૂર્ણિમા..

Image
તસ્મૈ શ્રી ગુરુવે નમઃ  गुरूर्ब्रह्मा गुरूर्विष्णुः गुरूर्देवो महेश्वरः । गुरूर्साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः ।। ગુરુપૂર્ણિમા એટલે ગુરુઋણ માંથી મુક્ત થવાનો દિવસ. જીવનમાં જે પણ ઊંચાઈઓ સર કરી હોય એમાં ઘણા બધા લોકોનું ઋણ રહેલું હોય છે. એમાનું એક ઋણ એટલે ગુરુઋણ.. માતા-પિતા જન્મ આપે છે, જ્યારે ગુરુ જીવન આપે છે. પરમાત્મા સુધી પહોચવાની યાત્રામાં ગુરુ કડીરૂપ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે :  तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया | उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिन: ||4.34|| અર્થાત સદગુરુને શરણે જઈ સત્યને જાણવાનો પ્રયાસ કર. તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાનોપદેશ કરી શકશે, કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે. ભગવદ સંબંધી જ્ઞાન માટે ગુરુનું શરણ સ્વીકારવું શા માટે જરૂરી છે ? ઉપરોક્ત શ્લોકમાં બતાવ્યું એ મુજબ ગુરુએ જે સત્યને પોતામાં ઉતાર્યું છે, એ સત્યને જોવાનો અને જાણવાનો દ્રષ્ટિકોણ ગુરૂ જ આપી શકે છે. વાલીયા લુંટારાએ ચોરી, લૂંટફાટ જેવા અનેક કુકર્મો કર્યા હતાં પણ નારદજી જેવા સદગુરુના વચને એ બધાનો ત્યાગ કરી પ્રભુનામ સ