Posts

Showing posts from November, 2023

"મધુરભર્યા સત્યની સંગાથે..."

સંધ્યા સંગાથે || Evening

Image
"સંધ્યા સંગાથે" જ્યારે હિરણ્યકશિપુની તપશ્ચર્યાથી ભગવાન તેના પર પ્રસન્ન થયા ત્યારે તેણે અમરત્વ પ્રાપ્ત કરવા એવું વરદાન માંગેલુ કે, “દિવસે ન મરું, રાતે ન મરું, લીલે ન મરું, સૂકે ન મરું, લાકડાથી ન મરું, લોખંડથી ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, માણસથી ન મરું, પશુ-પક્ષીથી ન મરું…. વગેરે વગેરે માંગણીઓ વરદાનમાં મૂકી. ભગવાને કહ્યું, “તથાસ્તુ!” જેમ હિરણ્યકશિપુ ભૂલી ગયો તેમ કેટલાક કોર્પોરેટ પર્સન પણ ભૂલી જાય છે કે ચોવીસ કલાકના આઠ પ્રહરમાં સંધ્યા જેવો પણ એક સમય હોય છે. દિવસ અને રાતનું મિલન થતો નજારો જોવાનું કેટલાકના ભાગ્યમાં લખાયું જ નથી હોતું. સવારે કામ રાતે આરામ અને સમય મળે ત્યારે પેટપૂજા. એ લોકોને ચાર દિવાલો વચ્ચેની હવા વધુ માફક આવી ગઈ હોય છે.  સંધ્યા અર્થાત સંધિ થવી. સંધ્યા એ મિલનનો પર્યાય છે કેમ કે તેનું સર્જન પ્રભાત અને રજનીના મિલનનું કેન્દ્ર છે. દિવસ ઉગતે સૂરજ એકદમ તાજગીના મિજાજમાં હોય છે, આપણી પજવણીના કારણે બપોર પડતા લાલઘૂમ થઈ જાય અને સાંજ પડતા એ બધું જ ભૂલીને એકદમ શાંત ને નિર્મળ થઈ જાય. જીવાત્મા માંહે ત્યાગ અને વૈરાગ્ય ઉદય થવામાં સંધ્યા મુખ્ય ભાગ ભજવે છે. સમી સાંજનો સમય જિંદગી...

"......."

Image
       1979 માં ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની ટીમ દ્વારા અથાગ પ્રયત્ને તૈયાર થયેલું SLV- 3 (Satellite Launch Vehicle) નું લોન્ચ ફેઈલ ગયું. તે વખતે સામાન્ય નાગરિકથી લઈને મીડિયા સુધીની નજર આ અસફળતા પર જ મંડરાયેલી હતી. એમાંય SLV- 3 ના પ્રોજેકટ ચેરમેન તરીકે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ હતાં એટલે આ ઘટનાથી કલામ વધારે નિરાશ થયા. એ વખતે ઈસરોના ચેરમેન અને ભારતીય ગણિતશાસ્ત્રી એવમ એરોસ્પેસ એન્જિનિયર પ્રો. સતીશ ધવને ડૉ. કલામ અને તેમની ટીમને હિંમત આપી અને ખભે હાથ મૂકી કહ્યું, " ચાલો બહાર મીડિયા અને જનતા આપણા જવાબની રાહ જોવે છે. " કલામ પોતે આ પ્રોજેક્ટના ચેરમેન હોવાને લીધે ડૉ. કલામ વધુ મૂંઝાયા. જનતાને શું જવાબ આપીશું..? મીડિયા વાળા કેવા કેવા પ્રશ્નો પૂછશે..? દેશ તરફથી મળેલી સંપત્તિનો શું જવાબ આપીશું..? આ આખીયે અસફળતાનું જવાબદાર કોણ..? પ્રો. સતીશ ધવન સાથે ડૉ. કલામ અને એમની ટીમ મીડિયા કોન્ફરન્સ સામે બેઠી. પત્રકારો અને લોકો બાજુથી પ્રશ્નનનો મારો છૂટ્યો... આ સફળતાનું જવાબદાર કોણ ?? દેશના પૈસા બારબાદ કરી નાખ્યા..!! વગેરે..વગેરે.... એ વખતે પ્રો. સતીશ ધવને હળવેક દઈને ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની ...