Posts

Showing posts from June, 2023

"મધુરભર્યા સત્યની સંગાથે..."

સંધ્યા સંગાથે || Evening

Image
"સંધ્યા સંગાથે" જ્યારે હિરણ્યકશિપુની તપશ્ચર્યાથી ભગવાન તેના પર પ્રસન્ન થયા ત્યારે તેણે અમરત્વ પ્રાપ્ત કરવા એવું વરદાન માંગેલુ કે, “દિવસે ન મરું, રાતે ન મરું, લીલે ન મરું, સૂકે ન મરું, લાકડાથી ન મરું, લોખંડથી ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, માણસથી ન મરું, પશુ-પક્ષીથી ન મરું…. વગેરે વગેરે માંગણીઓ વરદાનમાં મૂકી. ભગવાને કહ્યું, “તથાસ્તુ!” જેમ હિરણ્યકશિપુ ભૂલી ગયો તેમ કેટલાક કોર્પોરેટ પર્સન પણ ભૂલી જાય છે કે ચોવીસ કલાકના આઠ પ્રહરમાં સંધ્યા જેવો પણ એક સમય હોય છે. દિવસ અને રાતનું મિલન થતો નજારો જોવાનું કેટલાકના ભાગ્યમાં લખાયું જ નથી હોતું. સવારે કામ રાતે આરામ અને સમય મળે ત્યારે પેટપૂજા. એ લોકોને ચાર દિવાલો વચ્ચેની હવા વધુ માફક આવી ગઈ હોય છે.  સંધ્યા અર્થાત સંધિ થવી. સંધ્યા એ મિલનનો પર્યાય છે કેમ કે તેનું સર્જન પ્રભાત અને રજનીના મિલનનું કેન્દ્ર છે. દિવસ ઉગતે સૂરજ એકદમ તાજગીના મિજાજમાં હોય છે, આપણી પજવણીના કારણે બપોર પડતા લાલઘૂમ થઈ જાય અને સાંજ પડતા એ બધું જ ભૂલીને એકદમ શાંત ને નિર્મળ થઈ જાય. જીવાત્મા માંહે ત્યાગ અને વૈરાગ્ય ઉદય થવામાં સંધ્યા મુખ્ય ભાગ ભજવે છે. સમી સાંજનો સમય જિંદગી...

પપ્પા એટલે..?? || Father's DAY Special

Image
  પપ્પા એટલે..?? જે છત નીચે આજે સુરક્ષિત રહો છો, મજા કરો છો, સુખ- ચેનનો અનુભવ કરો છો એ ઈમારતનો પાયો એટલે પપ્પા.. પપ્પા એટલે પરિવારનું એવું સભ્ય જે પરિવાર સાથે સૌથી ઓછો સમય ગાળી શકે! દરેક તહેવાર અને પ્રસંગોમાં ઘરમાં જેની સૌથી છેલ્લે એન્ટ્રી થાય એ પપ્પા.. પપ્પા એટલે પીપળાનું વૃક્ષ; સૈાથી વધુ ઓક્સિજન આપે છતાં ઘરના આંગણામાં એને ભાગ્યે જ સ્થાન મળે. રાત્રે ઘરની નજીક પહોંચવામાં જ હોય કે મોબાઈલની એક રીંગ પર દવા, દૂધ કે શાકભાજી માટે ગાડી પાછી વાળે એ પપ્પા..  ગંજીફામાં જોકર પાનું એટલે પપ્પા.. ઘરમાં પગ મૂકતાં જ આપણી ઈચ્છાઓ અને ફરિયાદોનું ચેક લીસ્ટ જેની સામે મુકાઈ ગયું હોય એ પપ્પા..  પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારું સાસરું ન મળે ત્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા વડીલ કે જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે. દીકરીના માથા પર હાથ ફેરવવા માટે જેને સવારથી સાંજ સુધી વાટ જોવી પડે અને દીકરીની વિદાય વખતે જેને શોધવા જવા પડે એ પપ્પા.. દીકરીની વિદાય વખતે પપ્પા કદાચ એટલે જ આઘા-પાછા થઈ જતા હશે. કારણ કે એકવાર આ લાગણીઓરૂપી અશ્રુબંધ તૂટે તો પછી શહેરના શહેર...