Posts

Showing posts from May, 2023

"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ

પ્રભુને પત્ર...|| Letter to God

Image
  પ્રભુને પત્ર   પ્રિય પરમાત્મા, તું તો સર્વજ્ઞ છે. બધાનું બધું જાણે છે પણ આજે મેં તને મારી યથામતિનુસાર જાણવાની કોશિશ કરી. આમ તો તું અને તારી દશા સમજવા માટે મારે અર્જુન બનવું પડે. નરસિંહની કરતાલ બનવું પડે. મીરાના શબ્દો બનવું પડે. શબરીની ધીરજતા બનવું પડે અને એ બધું બનતા બહુ વાર લાગી જાય. જ્યારે જ્યારે પણ મંદિરમાં આવું ત્યારે ત્યારે તારી આગળ બે હાથ જોડી, આંખો બંધ કરી ઉભેલા માણસને દૂરથી જોવું એટલે મને થાય કે તારે તો બાકી જલસા છે ને...! જાત- જાતની ને ભાત- ભાતની વાનગીઓ ખાવા મળે. આખો દિવસ સિંહાસન પર બેસી એસીની ઠંડી હવામાં રે'વા મળે. પરંતુ, જ્યારે તારી નજીક આવ્યો, તારી મનોદશા વાંચવાનો પ્રયત્ન કર્યો ત્યારે તો નવાઈમાં જ મુકાઈ ગયો ! આ મોંઘવારીમાં તારી સમક્ષ સો રૂપિયાનું પૈડાંનુ બોક્ષ ધરી દસગણો પગાર વધારવાની માંગણી કરે. મારે તને પૂછવું છે કે તને કોઈ દા'ડો મોંઘવારી નથી નડતી ? તું એક સાથે સૃષ્ટિના કેટલા બધા કામો કરે છે પણ તને કોઈ દિ' વર્ક લોડ કે ઓવર લોડ નથી લાગતો ? હવે તો ડોક્ટર પણ એક દિવસના લિમિટેડ કેસ જ લે છે પણ તું તો ૨૪ કલાકમાં અનલિમિટેડ કેસ લઈ લેશ ! એ તો મેં જોયું કે તારી પાસે આભાર

બત્તડ મર્યો છે; નમ્યો નથી..

Image
  બત્તડ મર્યો છે; નમ્યો નથી.. ભારતભૂમિની આ ગુર્જરધરામાં અનેક સપૂતો હોમાઈ ગયા; વતન પ્રેમને ખાતર. ઘણાં એવા વીર જોદ્ધા(યોદ્ધા) પણ થઈ ગયા કે જેના મસ્તક મા ભોમના ખોળામાં સુઈ ગયા હોય ને એમના ધડ લડતાં હોય! જેમાંના ઘણાં સપૂતો લેખકોની કલમે નોંધાઈ ગયા. આજના આ ટેકનોલોજી અને રંગમંચના જમાનાએ કેટલાક અદ્ભૂત પાત્રોને રજૂ પણ કર્યાં. બટ, આજની આ ફાસ્ટ એન્ડ એજયુકેટેડ જનરેશન પાસે ઈતિહાસના પાના ફેરવવાનો સમય જ ક્યાં છે ! આજે વાત કરવી છે એક એવા સપૂતની કે જે વ્યક્તિ ગૂગલથી માંડીને કોઈ પણ સર્ચએન્જિનમાં નહી હોય. અને ક્યાંક ભાગ્યવશ એમનું નામ આવી પણ ગયું તો એ ફકત એક ફકરા પૂરતું સીમિત હશે. એ તો સારું થયું કે એ મર્દની નોંધ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ઉર્ફે ' ધૂમકેતુ ' ની કલમે ઈતિહાસના પાનાઓમાં કંડારાઈ ગઈ. અનાયાસે એ જ પુસ્તક - " રાયકરણ 'ઘેલો " મારા હાથે ચડી ગયું. એટલે એમાના અમુક અંશો આપ સહુ વાંચક મિત્રો સમક્ષ મુકવાનો પ્રયત્ન કરું છે. એક ઊંચો કદાવર, પાંચ હાથ પૂરા થાય તેવો, ઉગ્ર, કોઈ મોટા ડુંગરના ભીષણ ઊંચા ખડક જેવો, માણસ. એના ચહેરા ઉપર કડકાઈભરેલી હઠીલી રેખાઓનો કોઈ સુમાર ન હતો. એના જાડા, ટૂંકા વાળ એણે